RAJKOTUPLETA

ઢાંક ડુંગરેશ્ચર મહાદેવ ના પટાંગણમા સાધુ દ્વારા ફરતે અગ્નિ કરી આકરી તપસ્યા

૨૨ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ઢાંક ડુંગરેશ્ચર મહાદેવ ના સંત શ્રી પથીકમુનીજી બાપુ સર્વે જીવ કલ્યાણ અર્થે શ્રી ડુંગરેશ્ચર મહાદેવ ના પટાંગણમાં પંચધુણી તપસ્યા એટલે કે ફરતા અગ્નિ પ્રગટાવી વચમાં બેસી બપોરના સમયે બાર વાગ્યા થી દોઢ વાગ્યા સુધી તડકામાં બેસી ત્રીસ દિવસ સુધી સાધના કરે છે આ ઉનાળા ના આક્રરા તાપ મા તપ કરી રહ્યા છે.

આ અનુષ્ઠાન માં પહેલા દિવસે પચીસ છાણા થી શરૂઆત થાય છે
જેમ દિવસ વધે તેમ બીજા દિવસે ત્રીસ છાણા ત્રીજા દિવસે પાત્રીસ છાણા તેમ દિવસ વધતા જાય તેમ તેમ પાંચ પાંચ છાણા વધતા જાય છે આ અનુષ્ઠાન ત્રીસ દિવસ નું હોય છે આ પંચધુણી તપસ્યા અનુષ્ઠાન દરમિયાન ટોટલ ત્રણ હજાર ને એકસો છાણા નો ઉપયોગ થાય છે

આ અનુષ્ઠાન દરમિયાન ઢાંક ગામ તથા આજુબાજુનાં ગામોના દરેક ધર્મપ્રેમી જનતા દર્શન નો લાભ લેવા નમ્ર અનુરોધ ભક્તો દ્વારા કરવામા આવ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!