વિજાપુર તિરુપતિ ઋષિવન ખાતે “ગુજરાત સ્થાપના દિવસ”ની ઉજવણી કરાઈ
64 જેટલા વૃક્ષોનુ વાવેતર કરી ઉજવણી કરી ઉજવણી કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તિરુપતિ ઋષિવન ખાતે ગ્લોબલ ફાઉન્ડેશન
ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા ગુજરાત સ્થાપના દીવસ ની ઊજવણી 64 જેટલા વુક્ષો વાવીને કરવામાં આવી હતી. ગુજરાત ની સ્થાપનાને 1 મે ના દિવસે 64 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોઈ તેની ઉજવણી વાતાવરણ ને શુધ્ધ બનાવવા ના સંકલ્પ સાથે વૃક્ષો રોપણ કરવા માટે ગ્રીન એમ્બેસેડર દ્વારા અપીલ કરવામાં આવી હતી.ગ્રીન ગ્લોબલ ફાઉન્ડેશન ના સ્થાપક જીતુભાઇ પટેલે જણાવ્યું હતુકે ગ્રીન ગ્લોબલ ફાઉન્ડેશન ના જ્યાં જ્યાં પણ સભ્યો હોય ત્યાં ત્યાં વૃક્ષો વાવવા માટે સભ્યોને સૂચના ઓ આપવામાં આવી હતી. જેને લઈને દરેક ના સહિયારા પ્રયાસો અને પરિશ્રમ થકી ગતિશીલ ગુજરાતની સમૃદ્ધિમાં વધારો કરી આપણા ગુજરાતને વુક્ષો વાવી હરીયાળુ બનાવવા નો અથાગ પ્રયાસ કરવામાં આવ્યો હતો.