BHARUCHBHARUCH CITY / TALUKOGUJARATNETRANG

નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઇને પદાધિકારીઓ-અધિકારીઓ સાથે ધારાસભ્યની આયોજનલક્ષી બેઠક યોજાઇ.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૪/૦૮/૨૦૨૩

 

ઝઘડીયા વિધાનસભામાં ધારાસભ્ય તરીકે રિતેશ વસાવા ચુંટાઇ આવ્યા બાદ ૯ ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.ધારાસભ્ય રિતેશ વસાવા ૯ ઓગષ્ટે રાજપારડી મુકામે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું લોકાપઁણમાં ઝઘડીયા વિધાનસભામાંથી ગામે-ગામ મોટી સંખ્યામાં યુવાનો અને આદિવાસી સમાજના આગેવાનો જોડાશે તેવું જાણવા મળ્યું છે.ત્યારબાદ વિશાળ રેલી સ્વરૂપે નેત્રંગ તાલુકા મથકના સ્વામીનારાયણ મંદિરમાં પહોંચી પાણી-પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાના સાથે વિશ્વ આદિવાસી દિવસના ઉજવણીનો કાયૅક્રમ યોજાશે.૭૦૦ વધુ લાભાર્થીને કિટ-વિતરણ અને સહાય અપાશે.આદિવાસી સમાજની વેશભુષા અને પરંપરાગત નૃત્યો ઢોલ-નગારા સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે.

 

ઉલ્લેખનીય છે કે,ઝઘડીયા વિધાનસભામાં રિતેશ વસાવા વિજેતા બન્યા બાદ સૌ પ્રથમવાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થનાર હોવાથી ધારાસભ્ય રિતેશ વસાવા કોઈપણ પ્રકાર કસર બાકી રાખવા માંગતા નથી.વાલીયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના તમામ પદાધિકારીઓ-અધિકારીઓ સાથે ધારાસભ્યની આયોજન લક્ષી બેઠક કામગીરી સોપી દેવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!