JETPURRAJKOT

જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા લીંબુ સહિત વિવિધ પાકમાં થતા રોગો અને જીવાત અંગે કૃષિસલાહ આપવામાં આવી છે

તા.૭ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા  વિવિધ પાકમાં થતા રોગો અને જીવાત અંગે કૃષિસલાહ આપવામાં આવી છે. લીંબુના બગીચામાં‌ પાન કથીરીનો ઉપદ્રવ વધુ હોય તો તેના નિયંત્રણ માટે પ્રોપરગાઈટ દવા ૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. લીંબુમાં થતા સાયલા અને થ્રીપ્સ જેવા રોગના નિયંત્રણ માટે ઈમીડાક્લોપ્રીડ ૩૦.૫ ટકા પાંચ મીલી અથવા લીંબોળીનું તેલ ૫૦ મીલી અથવા લીંબોળીના મીંજનું પાંચ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી / લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. જો વધુ ઉપદ્રવ હોય તો ટ્રાયઝોફોસ ૪૦ ટકા ૨૦/૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. લીંબુમાં થતા બદામી ટપકાના નિયંત્રણ માટે કોપર ઓકઝિકલોરાઈડ ૪૦ ગ્રામ અને સ્ટ્રેપટોસાયકલીન ૧૦ લીટર પાણીમાં બે છંટકાવ ૧૫ દિવસના ગાળામાં કરવા. લીંબુમાં થતા પાનકોરીયુ જેવા રોગના નિયંત્રણ માટે ઈમેડાક્લોપ્રીડ ૩૦.૫ ટકા પાંચ મીલી ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરીને છાટવી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!