MEHSANAVIJAPUR

કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા તિરંગા યાત્રા નીકળી યાત્રાનું ઠેરઠેર કરાયુ સ્વાગત

કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા તિરંગા યાત્રા નીકળી યાત્રાનું ઠેરઠેર કરાયુ સ્વાગત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સ્વતંત્રીય દિન ની ઉજવણી ના ભાગ રૂપે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૧૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે રાષ્ટ્ર ના નિર્માણ માં લોકો ની ઉત્સુકતા વધે અને લોકો રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ અને મૂલ્ય જાણી તેનું જતન કરી શકે તેવા ઉદ્દેશ સાથે યાત્રા નીકળી હતી જે શહેરી વિસ્તાર ના ૨૧ જેટલા વિસ્તારોમાં ફરી હતી સમગ્ર વિસ્તારમાં આ તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ દેશની રક્ષા કાજે શહીદી વ્હોરનાર શહીદ વીર જવાનો ને શ્રદ્ધાંજલી આપવા માં આવી હતી આ તિરંગા યાત્રામાં જુદાજુદા સમુદાયના તેમજ દરેક ધર્મના આગેવાનો જોડાયા હતા અને રાષ્ટ્રીય એકતા ના દર્શન કરાવ્યા હતા યાત્રા નું રાષ્ટ્રીય ગાન સાથે સમાપન કરવામાં આવ્યું હતુ સર્વ વિદ્યાલય કડી ના કેળવણી મંડળના સભ્યો એ કાર્યક્રમ ને સફળ બનાવવા મહેનત કરી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!