કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા તિરંગા યાત્રા નીકળી યાત્રાનું ઠેરઠેર કરાયુ સ્વાગત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સ્વતંત્રીય દિન ની ઉજવણી ના ભાગ રૂપે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૧૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે રાષ્ટ્ર ના નિર્માણ માં લોકો ની ઉત્સુકતા વધે અને લોકો રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ અને મૂલ્ય જાણી તેનું જતન કરી શકે તેવા ઉદ્દેશ સાથે યાત્રા નીકળી હતી જે શહેરી વિસ્તાર ના ૨૧ જેટલા વિસ્તારોમાં ફરી હતી સમગ્ર વિસ્તારમાં આ તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ દેશની રક્ષા કાજે શહીદી વ્હોરનાર શહીદ વીર જવાનો ને શ્રદ્ધાંજલી આપવા માં આવી હતી આ તિરંગા યાત્રામાં જુદાજુદા સમુદાયના તેમજ દરેક ધર્મના આગેવાનો જોડાયા હતા અને રાષ્ટ્રીય એકતા ના દર્શન કરાવ્યા હતા યાત્રા નું રાષ્ટ્રીય ગાન સાથે સમાપન કરવામાં આવ્યું હતુ સર્વ વિદ્યાલય કડી ના કેળવણી મંડળના સભ્યો એ કાર્યક્રમ ને સફળ બનાવવા મહેનત કરી હતી