તા.૧ મે
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લાનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪.૦૫.૨૦૨૩, બુધવારના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાશે, જેમાં અરજદારે રજૂ કરવાના પ્રશ્નો બે નકલમાં સંબંધિત તાલુકા મામલતદારને તા.૧૦-૦૫-૨૦૨૩ સુધીમાં મોકલી આપવાના રહેશે.
આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરી શકાશે નહિ. પ્રથમવાર અરજી કરતા હોય તેવા પ્રશ્ન રજુ કરી શકાશે નહિ. અરજદાર એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે તથા અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે. તેમ કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.