તા.07/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગતરોજ ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા દ્વારા દુધઈ, ગઢડા, ખંપાળીયા, વડધ્રા, મહાદેવ પરા સુધી સિંચાઇનું પાણી પહોંચાડવા માટે ગટર સફાઈ તેમજ જે ખેડૂતો ને ભેજ લાગતો અને આગળ પાણી પહોંચ્યા પહેલા જ સ્કાવર વાલ્વ બંધ કરવો પડતો હતો જેથી આગળના ગામડાઓમાં પાણી નહોતું પહોચતું તે ગઈકાલે આગળના ગામડા સુધી પાણી પહોંચે અને કોઈ ખેડૂતો ના ખેતરોમાં ભેજ લાગી ને નુકશાન ન થાય માટે ખેડૂત ભંડોળ ભેગુ કરી મુખ્ય ગટરની બાજુમાં નાની ગટર કરી ખેડૂતોને સમજાવી વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું આ તકે રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે સિંચાઇ નું પાણી ગામડે ગામડે પહોંચાડવાના સ્વપ્ન સાથે હું જાહેર જીવનમાં આવ્યો છું સત્તા નથી મળી પણ સતત લડતના પરિણામ સ્વરૂપે આજે મુળીના 10 ગામો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં નાની મોટી સફળતા મળી છે અન્ય પાર્ટીના નેતાઓ જે ક્યારેય સિંચાઇના પાણીની વાત નહોતા કરતા એ પણ આજે અમારા ચિલે ચાલતા થયા છે હજુ આગામી સમયમાં મોટી લડત લડવાની તૈયારી સાથે મૂળી, થાનગઢ, ચોટીલા અને સાયલા તાલુકાના દરેક ગામમાં પાણી પહોંચાડવાની માંગણી સાથે મેદાનમાં આવીશું.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.