GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સામાજિક સમરસતા મંચ – મોરબી તથા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા આયોજિત સન્માન સમારોહ યોજાશે

સામાજિક સમરસતા મંચ – મોરબી તથા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા આયોજિત સન્માન સમારોહ યોજાશે

 

સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા ” માનવ સેવા એજ પ્રભુ સેવા” એ સૂત્ર ને સાર્થક કરી દેશ બાંધવોની નિસ્વાર્થ ભાવે કરેલ સેવા સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે.આપણા સૌનો આ સેવા યજ્ઞ હરહંમેશ પ્રજવલિત રહે તેવા શુભ આશયથી સામાજિક સમરસતા મંચ – મોરબી તથા ડો.હેડગેવાર સ્મારક સમિતિ – મોરબી દ્વારા *શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ સ્વચ્છતા કર્મી પરિવારજનો ના બાળકો તથા સ્વરછતા કર્મી બંધુઓ ને સન્માનિત કરવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે*. આ સન્માન સમારોહ તા.13/01/2024 ને શનિવારે બપોરે 3:00 વાગ્યે થી 6:00 વાગ્યા સુધી મોરબી નગરપાલિકા કોમ્યુનિટી હોલ,સરદાર બાગ પાછળ, બ્રહ્માકુમારી ભવનની બાજુમાં,શનાળા રોડ,મોરબી ખાતે યોજાશે,આ સમારોહમાં આદરણીય જતીનભાઈ નાણાવટી ( સંયોજક – સૌરાષ્ટ્ર પ્રાંત, સામાજિક સમરસતા મંચ) નું પ્રેરક ઉદબોધન તથા આશિર્વચન શ્રી કરશનદાસ બાપુ(કબીર આશ્રમ – રોહીદાસપરા) દ્વારા આપવામાં આવશે.આ કાર્યક્રમમાં શ્રી દિપકભાઈ ઢોલ સાહેબ ( પી. આઈ. એલ.સી. બી- મોરબી) ની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.આ કાર્યક્રમમાં શ્રી પ્રવિણભાઈ ધોળકીયા (પ્રમુખ શ્રી ડો હેડગેવાર સ્મારક સમિતિ – રાજકોટ) તથા શ્રી વિપુલભાઈ અઘારા (મંત્રી શ્રી ડો હેડગેવાર સ્મારક સમિતિ – રાજકોટ) ઉપસ્થિત રહેશે એમ દિનેશભાઇ વિડજા ( સંયોજક મોરબી જિલ્લા – સામાજિક સમરસતા) ની યાદીમાં જણાવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!