KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના લોકસેવક માણેકલાલ ગાંધી ની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમા ને ફુલહાર અર્પણ કર્યા
તારીખ ૯ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ અને જુના પંચમહાલ જિલ્લાના આજીવન લોકસેવક માણેકલાલ મગનલાલ ગાંધી ની ૩૪ મી પુણ્યતિથી નિમિત્તે કાલોલ ટાઉન હોલ વિસ્તાર મા પાલિકા દ્વારા સ્થાપીત તેઓની પ્રતિમા ને એન એમ જી ટ્રસ્ટ સંચાલીત હોસ્પીટલ ના કર્મચારીઓ દ્વારા ફુલ હાર અર્પણ કર્યા હતા પંચાયત થી લઈને પાર્લામેંટ સુઘી ની તેઓની સેવાઓ ને યાદ કરી સમગ્ર કાલોલ અને આસપાસ ના વિસ્તારોમાં તેઓની સેવાકીય પ્રવૃતિઓ હોસ્પીટલ, આશ્રમ શાળાઓ,આદિવાસી ઉત્કર્ષ પ્રવૃતિઓ,આઝાદી ની ચળવળ, શિક્ષણ અને આરોગ્ય,સહકાર વિભાગ સહિત ની સેવાઓને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.