તા.૦૮.૦૮.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
ઝાલોદ તાલુકાના ગામમાં પતિના લગ્નેતર સંબંધથી ત્રસ્ત પરણિતાની મદદ અભયમ દાહોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામમાંથી એક પરિણીતાનો કોલ આવ્યો ને જણાવ્યું કે અમે જ્યારે ભણતાં હતાં ત્યારે અમને એક બીજાં સાથે પ્રેમ સંબંધ થઈ ગયેલ હતો . અને હુ બ્રાહ્મણ સમાજની છું. અને મારો પતિ આદિવાસી સમાજના છે અને અમે બંન્ને જણે અમે ભાગીને અમે ભાગી કોર્ટ મેરજ કરી લીધા હતા. અને એના અમને પાંચ વર્ષ થયાં અને મારે 3 વર્ષ નો છોકરો છે.
તો મારો પતિ મને એવું કહે છે. તું જતી રે તું અને છુંટાછેડા લઈ લે. અને હવે મારાં સમાજ વાળા લોકો મને સ્વીકારવા માટે ના પાડે છે અને મારા મમ્મી પપ્પા પણ ના પાડે છે. અને મારો એક છોકરો પણ છે. તો હવે મારે કયા અને હું હવે આત્મહત્યા કરી લઈશ પીડિતા બેન એવું કહેતા હતા.
અભયમ કાઉન્સેલરે પતિને લગ્નજીવનની ગંભીરતાથી અને પારિવારીક જવાબદારીથી વાકેફ કરેલ 4સામાજીક અને કાયદાકીય જવાબદારી ભાન કરાવતા પતિએ પોતાની ભૂલ કબૂલી હતી. અને હવે પસી મારી પત્ની ને છુંટાછેડા આપવાની વાત હવે નહી કરુ. તેની ખાતરી આપી હતી. અને પસી બંને પતિ પત્ની વચ્ચે અસરકારક કાઉન્સિલિંગ થી પારિવારિક ઝગડાથી સુખદ સમાધાન કરવામાં આવ્યું હતુ. અને પરણિતાને પોતાને મળેલ મદદ બદલ. અભયમનો આભાર માન્યો હતો.