GUJARAT

ખેડૂતોનો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગરુડેશ્વર શાખા ઉપર હલ્લો.

વાત્સલ્યમ સમાચાર
કેવડિયા કોલોની
અનીશ ખાન બલુચી

દીવા તડે અંધારું

નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર  GEB માં આવતા છ થી સાત ગામના ખેડૂતોનો  ગરુડેશ્વર શાખા ઉપર હલ્લો.

ગુજરાત સરકાર નો ખેડૂતો ને આઠ કલાક વીજળી આપવાનો દાવો ખાલી જુમલો.ખેડૂત નો ઉભો પાક લાઈટ વગર સુકાઈ જવા લાગીયો.

જ્યાં સરદાર સરોવર નર્મદા ડેમ અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે. અહીં સરદાર સાહેબની પ્રતિમા જોવા ભારતભરમાંથી તેમજ વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે અને અહીંથી ઉત્પન્ન થતી કરોડો રૂપિયા ની વીજળી બીજા રાજ્યો ને આપવામાં આવે છે.

પેલી કહેવત છે ને ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો.

ગુજરાતમાં ખેડૂતો ને આઠ કલાક વીજળી આપવામાં આવે છે પણ ગરુડેશ્વર તાલુકામાં આવતા
આ ગામો રેંગણ વાસણ વાડિયા. ટેકરા. કામસોલી છ થી સાત ગામોને છેલ્લા બે ત્રણ મહિનાથી આઠ કલાક તો શું એક કલાક પણ વીજળી મળતી નથી.વીજળી વગર ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે .નર્મદા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને પાણીની પુષ્કળ જરૂરિયાત હોય પણ ખેડૂતો વીજળી વગર શું કરે અનેક વખત ગરુડેશ્વર ફીડરમાં રજૂઆત કરવા છતાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ આ ખેડૂતોની વ્યથા સાંભળવા તૈયાર નથી .

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!