AHAVADANG

Dang: સાપુતારા તળાવમાં ચાલતી નૌકાવિહાર પ્રવૃત્તિની ચીફ ઓફિસર ડો.ચિંતન વૈષ્ણવ દ્વારા આકસ્મિક તપાસ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગિરિમથક સાપુતારા ખાતે સર્પગંગા તળાવમાં ચાલતી નૌકાવિહાર પ્રવૃત્તિની ચીફ ઓફિસર અને નાયબ કલેક્ટર એવા ડૉ ચિંતન વૈષ્ણવ દ્વારા આકસ્મિક તપાસણી કરી કડક સૂચનો અપાયા…
રાજ્યનાં વડોદરાનાં હરણી તળાવમાં બનેલ ગોઝારી ઘટના બાદ સરકારનાં સૂચનોને અનુલક્ષીને ચીફ ઓફિસર ડો. ચિંતન વૈષ્ણવ દ્વારા સાપુતારા બોટ હાઉસ ખાતે ધસી જઈ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ હતુ.રાજ્યભરમાં નૌકાવિહારનાં ઇજારદારો દ્વારા વધુ પૈસા કમાવવાની લ્હાયમાં લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવતો હોય તેવા કિસ્સા એક બાદ એક સામે આવી રહ્યા છે.વડોદરાનાં હરણી તળાવ ખાતે પણ કોઈપણ પ્રકારની સેફટી વગર બાળકોને બોટિંગ માટે મોકલી દેવામાં આવ્યા હતા.જેમાં ગોઝારી ઘટના બની હતી અને કેટલાય બાળકોનો જીવ ગયો હતો.ત્યારે ગિરિમથક સાપુતારા ખાતે પણ રોજેરોજ અસંખ્ય પ્રવાસીઓ આવે છે.અને બોટીંગની સાથે વિવિધ એક્ટિવિટીઓનો સ્વાદ માણે છે.ત્યારે સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓ સાથે આવી એક્ટિવિટીઓમાં દુર્ઘટના ન બને તે માટે ચીફ ઓફિસર સજાગ બન્યા છે.આજરોજ ચીફ ઓફિસર ડો. ચિંતન વૈષ્ણવ દ્વારા ગિરિમથક સાપુતારા ખાતે આવેલ સર્પગંગા તળાવ નાં બોટહાઉસની આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.સરકારની સૂચના મુજબ બોટ હાઉસ ખાતે લાઈફ જેકેટ પ્રવાસીઓને પહેરાવવામાં આવે છે કે કેમ, લાઈફ જેકેટની સંખ્યા, રેસ્ક્યુબોટની સંખ્યા, દરેક બોટની ફિટનેસ સર્ટી,સહિત અન્ય સલામતીનાં સાધનો રાખી સૂચનાનો અમલ કરવામાં આવે  છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવી હતી.તેમજ વડોદરાનાં હરણી તળાવ જેવી દુર્ઘટનાને લઈને ચીફ ઓફિસર દ્વારા બોટ સંચાલકોને સરકારની સૂચના ગાઈડ લાઈનને ચુસ્તપણે અમલ કરવાનું જણાવી લાપરવાહી ચલાવી લેવામાં આવશે નહીં તેવા કડક સૂચનો કર્યા હતા..

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!