વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
પાણીખડક ચારરસ્તા નજીક આવેલા શ્રી નર્મદેશ્વર મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે પંચવકત્રમ પૂજા કરવામાં આવી હતી,જેમાં નવસારીના સ્નેહલ મહારાજ દ્વારા વેદ મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવવામાં આવી હતી.તેમજ તેમણે ભગવાન શિવની મહિમાનું વર્ણન કર્યું હતું.આ પ્રસંગે સામાજિક અગ્રણી ગુણવંતભાઈ પટેલ,રેખાબેન,નીરજભાઈ પટેલ,કલાબેન તેમજ ગણેશભાઈ પટેલ સહિતના ભાવિક ભક્તોએ પૂજામાં ભાગ લીધો હતો.ગુણવંતભાઈ પટેલે જણાવ્યું કે કળિયુગમાં શિવની ઉપાસના કરવાનું ઘણું મહત્વ છે,ભક્તો શ્રદ્ધા રાખે તો પોતાના જીવનમાં આવનાર દુઃખો નિવારી શકે છે.આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.