NAVSARI

નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક શોધ કાર્યશાળાનો શુભારંભ કરાવતા કુલપતિ ડો. ઝેઙપી. પટેલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી ગુજરાત નેચરલ ફાર્મિગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, હાલોલ કેમ્પસ આણંદ દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક શોધ કાર્યશાળાનો નવસારી ખાતે શુભાંરભ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.ઝેઙપી.પટેલના વરદ્દહસ્તે કરવામાં આવ્યો હતો. તેમની સાથે પ્રાકૃતિક ખેતી (ખાસ ફરજ પરના અધિકારી) શ્રી દિનેશ પટેલ જોડાયા હતા.આ પ્રસંગે કુલપતિ ડો.ઝેઙપી.પટેલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી સમૃધ્ધિ તરફ લઇ જવા માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને વિસ્તરણ માટે સરકાર અનેકવિધ પગલાંઓ લઇ રહી છે. કૃષિ યુનિવર્સિટી નવસારી પણ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે સાતથી વધુ હેકટર જમીન પ્રાકૃતિક ખેતીના સંશોધનો માટે ફાળવી આપી છે. તે માટે પ્રાકૃતિક ખેતીના ખાસ સેલની રચના પણ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત રાજય દેશમાં અગ્રિમ સ્થાન ધરાવે તે માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે. આ અવસરે ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત રહેલ પ્રાકૃતિક ખેતી ખાસ ફરજ પરના અધિકારી શ્રી દિનેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક ખેતીના પ્રહરીઓ બનીને રાજય અને દેશને નવી દિશા આપે. પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતોની માનસિકતા બદલાઇ છે. આજે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગો કરીને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી સમાજમાં એલ અલાયદું સ્થાન બનાવ્યું છે. પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર કરીને નવા ગુજરાતનું નિર્માણ કરીએ.
આ પ્રસંગે ગુજરાત નેચરલ ફાર્મિગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના કુલપતિ ડો.સી.કે.ટીમ્બડીયા, ડો.નિકુંજસિંહ ચૌહાણ, ડો.આર.એન.નાયક, શ્રી પ્રફુલ્લભાઇ સેંજલીયા તેમજ મોટીસંખ્યામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!