BANASKANTHAGUJARATPALANPUR

બાર જ્યોતિર્લિંગ મંદિરોના દર્શનાર્થે નીકળી હતી 500 કિલો વજન વાળા શિવલિંગને લઇ શિવ રથ યાત્રા અંબાજી પહોંચેલ 

5 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

મહેસાણા જિલ્લાના વાળીનાથ ધામ તરભ થી નીકળેલી શિવ રથયાત્રા યાત્રાધામ અંબાજી ખાતે પહોંચી હતી તો આ શિવ રથયાત્રા તરભ માં બની રહેલા નવા શિવાલય માટે બાર જ્યોતિર્લિંગ મંદિરોના દર્શનાર્થે નીકળી હતી જે 500 કિલો શિવલિંગને લઇ પરિભ્રમણ કરાવ્યું હતું જે શિવલિંગ નર્મદા નદીના તટ નાં પથ્થરમાંથી બનાવેલું શિવલિંગ લઈ આ રથયાત્રા અંબાજી ખાતે પહોંચી હતી જ્યાં મોટી સંખ્યામાં સમાજની દીકરીઓ માથે શ્રીફળ ને કળશ લઇ સામયું કર્યું હતું આ રથયાત્રામાં વાળીનાથના મહંત જયરામ ગિરિ મહારાજ સહિત અન્ય સંતો પણ જોડાયા હતા અંબાજી ખાતે આ શીવ રથયાત્રા અંબાજી મંદિરે પહોચી શિવલિંગને મા અંબેના દર્શન કરાવી શિવ શક્તિનું મિલન કરાવ્યું હતું એટલું જ નહીં આ વિશાળ શિવલિંગ ને મંદિર પરિસર માં પંચામૃત સહિત દૂધનું અભિષેક પણ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ અંબાજીના પી.આઈ જી.આર રબારી સહિત અંબાજી રબારી સમાજ દ્વારા કરાવ્યું હતું જેમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ સહિત અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા આ નીકળેલી શિવ રથયાત્રા ઉદ્દેશ એ છે કે આગામી ફેબ્રુઆરી માસ માં મહેસાણા જિલ્લાના વાળીનાથ ધામ તરભ ખાતે મોટું શિવાલય બનવા જઈ રહ્યું છે ત્યાં આ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે સાથે એવું પણ માનવામાં આવે છે કે ગુજરાતનો જે સોમનાથનું મંદિર છે તે જ પ્રકારના બીજા નંબરનું આ શિવાલય આ તરભ ખાતે નિર્માણ પામશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!