RAJKOTUPLETA

જામકંડોરણા પાસેથી મળેલી હત્યા કરાયેલી લાશનો સ્કેચ જાહેર કરાયો

વાલી-વારસોને જામકંડોરણા પોલીસનો સંપર્ક કરવા અપીલ.

૯ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

જામકંડોરણા નજીક ધોરાજી રોડ ઉપર ભાદર નદીના પાણીમાંથી મળી આવેલ કોહવાયેલી લાશના વાલીવારસ નહીં મળતા પોલીસે આ લાશના આધારે સ્કેચ તૈયાર કરી જાહેર કર્યો છે અને મૃતકને ઓળખતા હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

આ અજાણ્યા પુરૂષના જમણા હાથની કલાઈ ઉપર અંગ્રેજીમાં શિવા તથા અંગુઠા પાસે વી.એસ. ત્રોફાવેલ છે. તેની ઉંમર આશરે છે ૩૦થી ૩૫ વર્ષની છે. મરણજનાર ખરી અજાણ્યા પુરૂષની ઓળખ થયેલ નથી કે તેના કોઈ વાલીવારસ મળી આવેલ નથી જેથી મરણજનાર અજાણ્યા પુરૂષની ઓળખ માટે અપીલ તથા તેના કોઈ વાલીવારસ મળી આવે તો જામકંડોરણા પોલીસ છે. સ્ટેશન ખાતે પો. સબ ઈન્સ.વી. અે ડોડીયા મો.નં.૯૨૭૭૨ ૫૮૦૩૫, ૮૨૦૦૨ ૧૨૧૯૬ ઉપર સંપર્ક કરવા અપીલ કરેલ છે.

જામકંડોરણા-ધોરાજી રોડ ભાદર નદીના પુલ પાસે ભાદર નદીમાં . પાણીમાં તરતી હાલતમાં કોહવાયેલી તથા ફુલી ગયેલ હાલતમાં મળી આવેલ જે કોઈ અજાણ્યા ઈસમે કોઈ હથીયાર વડે મોત નિપજાવી ભાદર નદીમાં ફેંકી દીધી હતી. આ મરણજનાર અજાણ્યા પુરુષના શરીરે ભુખરા કલર શટ અને કાળા રંગ પેન્ટ છે તેવું જણાવાયું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!