GUJARATSURENDRANAGARTHANGADH

થાનગઢ ગંદકી મુદે રજુઆત કરવામાં આવતા આગેવાનો સામે પોલીસ કેસ

તા.05/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આપ સમર્થક મોડી રાત સુધી પોલીસ સ્ટેશન ઉમટી પડતા વહેલી સવારે અપાયા જામીન

થાનગઢ મુકામે ગંદકી મુદે આક્રમક બની જનતા સાથે આમ આદમી પાર્ટી ઉતરતા રાજકીય ગરમાવો આવી ગયો છે આપ આગેવાન રાજુભાઈ કરપડા જિલ્લા આપ પ્રમુખ,સહિતની ટીમ નગરપાલિકા ખાતે લોકો સાથે રજુઆત કરવા પહોંચી ગયા હતા હાલ નગરપાલિકા વહિવટદાર એવા થાનગઢ મામલતદાર શર્માએ આગેવાનો અને મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરતાં આક્રોશ ફેલાયો હતો અને મહિલાઓએ ગંદકી ભરેલ ડોલને ઓફિસમાં જ ઢોળતા અફડાતફડી મચી જવા પામી હતી મામલતદાર દ્વારા આપ આગેવાનો અને સ્થાનિક પંચાલભાઈ ઉપર પોલીસ ફરીયાદ નોંધાવતા સમગ્ર જીલ્લાના કાર્યકરો આગેવાનો મહિલાઓ મોટી સંખ્યામાં થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ધસી જ‌ઈ સુત્રોચાર કરતા ગરમાવો આવી જતા અન્ય પોલીસ સ્ટાફ બોલાવવાની ફરજ પડી હતી ટોળાને શાંત કરવા પોલીસ દ્વારા રાજુભાઈ કરપડા અને આગેવાનોને બહાર મેદાનમાં લાવી શાંત પાડવાનો પ્રયત્ન સાથે શાંતિ જાળવવાની અપીલ કરતાં શાંત થયા હતા અને મામલતદાર દ્વારા ખોટી રીતે ફરીયાદ કરવામાં આવી છે અને રજુઆત કરનારને ધમકાવવામા આવે છે તેમ જણાવ્યું હતું આપ આગેવાનો એવા કુલ ૧૩ સામે ફરજરૂકાવટની ફરીયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે આવનાર સમયમાં આ જનતા આક્રોશ સાથે મોટુ સંમેલન થાનગઢ મુકામે યોજાશે અને નગરપાલિકા સામે ભ્રષ્ટાચાર અને ગટર પાણી મુદે જન આંદોલન કરશે તેમ કરપડાએ જણાવ્યું હતું સામે બહેનોએ પણ પોલીસ ફરીયાદ માટે પોલીસ સ્ટેશન ધસી જ‌ઈ મામલતદાર દ્વારા અમોને જાતી અપમાનિત અને ખરાબ શબ્દો ઉપયોગની સામે ફરીયાદ કરવા આવી પહોંચી હતી તમામ અટકાયત આગેવાનોને વહેલી સવારે જામીન મુકત કરવામા આવતા મામલો શાંત હાલ પડેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!