GUJARATSAYLA

સુરેન્દ્રનગર પી.જી.વી.સી.એલ કચેરીએ સ્માર્ટ મીટર લગાવવા બાબતે ધારદાર રજૂઆત.

ભુલે ચૂકે પણ ખેડૂતના ખેતરમાં સ્માર્ટ મીટર લગાવવા જશો તો જોયા જેવી થશે…! આમ આદમી પાર્ટી નેતા રાજુભાઈ કરપડા એ આપી ચિમકી.

સુરેન્દ્રનગર પી.જી‌.વી.સી.એલ અધિક્ષક ઇજનેરની કચેરીએ 200 થી વધારે પરિવારોએ ઢોલ નગારા સાથે સૂત્રોચાર કરી સ્માર્ટ મીટર ઉખાડી જવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જો સ્માર્ટ મીટર હટાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આક્રમક આંદોલન સુરેન્દ્રનગરમાં થવાની ચીમકી ઉચ્ચારી હતી

જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા, રમેશભાઈ મેર, સતીશ ગમારા, કમલેશ કોટેચા, તેમજ વેપારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!