PANCHMAHALSHEHERA

*વૃતાલય વિહારમ શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો

પંચમહાલ

વાત્સલ્ય સમાચાર’

વિપુલ દરજી ગોધરા

ગોધરા ખાતે વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે વડતાલ ગાદી ના સમર્થ આચાર્ય પ. પૂ 1008 શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય પ. પૂ 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ના આજ્ઞા અને આશીર્વાદ થી ભવ્ય અને દિવ્ય શાકોત્સવ ઉજવાયો.

જેમાં વડતાલ થી પ. પૂ 108 ધર્મકુળભુષણ શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ સંતો સહિત પધાર્યા હતા અને આશીર્વચન નો લાભ આપ્યો હતો અને જેમાં ભારતીય જનતા પાર્ટી ના શ્રીઅશ્વિનભાઈ પટેલ જિલ્લા પ્રમુખ જિલ્લા મહામંત્રી શ્રી કુલદીપસિંહ સોલંકી ,શહેર પ્રમુખ શ્રી દિલપભાઈ દસાડીયા , શહેર મંત્રી શ્રી હિતેશ ભટ્ટ , સક્રિય સભ્ય શ્રી મુન્નાભાઈ મહાજન અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માં થી શ્રીરાજેશભાઇ જોશી, શ્રીધર્મેશભાઈ મહેતા શ્રી ઇમેશભાઈ પરીખ . રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મંત્રી જીતેન્દ્ર ઠાકર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષ માં બપોર 4 થી 6 માં સ્ત્રી ભક્તો ને દર્શન અને આશીર્વચન આપવા માટે મહિલા ના ગુરૂપદે બિરાજમાન પ પૂ અ.સૌ માતૃશ્રી (ગાદીવાળા) પધાર્યા હતા અને મહિલા સભા નું પણ આયોજન થયું હતું અને આ શાકોત્સવ માં 600કિલો રીંગણ 120 કિલો બાજરી લોટ 60 કિલો શુદ્ધ ઘી અને 80 કિલો ચોખા ની ખીચડી સહિત પ્રસાદ બનાવવામાં આવ્યો હતો આશરે 3000 થી 3300 જેટલા ભક્તો એ શાકોત્સવ ના દિવ્ય દર્શન અને મહાપ્રસાદ નો લાભ લીધો હતો..સમગ્ર મહોત્સવ ના યજમાન અ. ની જયંતીલાલ પૂંજાલાલ કાપડિયા હેમંતભાઈ અને નિગમભાઈ ના પરિવાર હતા અને સમગ્ર આયોજન શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ ગોધરા દ્વારા કરવામાં આવેલ હતું

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!