તારીખ ૨૪ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
આજ રોજ કાલોલ તાલુકાના રીંછીઆ પ્રાથમિક શાળા ખાતે શાળા સ્થાપના દિન અને ધોરણ.8 ના બાળકોના વિદાય સમારંભ કાર્યક્રમની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં અધિકારી,સરપંચ ,નિવૃત્ત આચાર્ય,પેટા શાળાના આચાર્ય ,સીઆરસી કો.ઓર્ડીનેટર ,ગામના વડીલ ગણ,યુવાગણ,પંચાયત સભ્યશ્રીઓ,SMC કમિટીના સભ્યો,બહેનો,અને ખૂબ મોટી સંખ્યામાં બાળકોએ હાજર રહીને કાર્યક્રમ નિહાળ્યો હતો.કાર્યક્રમના અંતે આમંત્રિત મહેમાનો અને ગ્રામજનોએ ભોજન લઇ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.