BANASKANTHAGUJARATPALANPUR

વિજય વિદ્યામંદિર દાંતીવાડા માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

23 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે રુચિ વધે અને પર્યાવરણનું સરક્ષણ કરે તે માટે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગાંધીનગર પ્રેરિત દાંતીવાડા તાલુકા તરફથી વૃક્ષારોપણ નો કાર્યક્રમ વિજય વિદ્યામંદિર દાંતીવાડા માં  યોજવામાં આવ્યો હતો.જેમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત ના જિલ્લા સંયોજક શ્રી બ્રહ્મભટ્ટ તાલુકા સંયોજક ગામના માજી સરપંચ સુરેશભાઈ મોદી . દાંતીવાડા પોલીસ અધિકારીશ્રી શાળાના શિક્ષકો ગ્રામજનો વિદ્યાર્થીઓએ શાળાના કમ્પાઉન્ડમાં વિવિધ વૃક્ષો વાવી પર્યાવરણ સરક્ષણ નો સંકલ્પ લેવામાં આવ્યો હતો.વૃક્ષારોપણ કાર્યક્રમમાં અત્રેની શાળાને પસંદ કરવા બદલ શાળાના આચાર્યશ્રી પી.બી. જોષીએ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!