BANASKANTHAGUJARATKANKREJ

કાંકરેજ તાલુકાના અરણીવાડા ખાતે બનાસનદીમાંથી મોટી માત્રામાં રેતી ખનન ઝડપાયુ.

ભુસ્તર વિભાગ પાલનપુર, પાટણ,મહેસાણા,અમદાવાદ અને ફલાઇંગ સ્ક્વોડની ટીમો દ્વારા હાથ ધરાયુ ચેકીંગ.

કાંકરેજ તાલુકાના અરણીવાડા ખાતે બનાસનદીમાંથી મોટી માત્રામાં રેતી ખનન ઝડપાયુ.
————————————
ભુસ્તર વિભાગ પાલનપુર, પાટણ,મહેસાણા,અમદાવાદ અને ફલાઇંગ સ્ક્વોડની ટીમો દ્વારા હાથ ધરાયુ ચેકીંગ.‾


—————————————-

બ.કાં.જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી પસાર થતી અને તાલુકાની જનતાની જીવાદોરી સમાન બનાસનદીમાં દિન-રાત ભુમાફીયાઓ દ્વારા સતત રેતી ખનન કરી સરકારની તિજોરીને ભારે નુકશાન પહોચાડી રહ્યા છે. ત્યારે કાંકરેજ તાલુકાના અરણીવાડામાં બનાસનદીમાં અનેક રેતીની લીઝો આવેલી જેમાંથી ભુમાફીયાઓ દ્વારા રાત દિવસ એક કરીને અધિકૃત અને બિનઅધિકૃત રેતી ખનન કરી રહ્યા છે.તેવી વ્યાપક ફરીયાદો ભુસ્તર વિભાગને અવારનવાર મળતી રહે છે.તેવામાં અરણીવાડામાં ગ્રામ જનોની ફરીયાદના આધારે પાલનપુર ખાણ ખનિજ વિભાગ ની ટીમ ત્રાટકી હતી. તેના આધારે ગઈ કાલે રાત્રિના ભુમાફીયાઓ દ્વારા બિનઅધિકૃત રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યા હોવાની જાણ થતાં ભુસ્તર વિભાગ પાલનપુર દ્વારા તા.૧૦/૦૯/૨૪ ના સાંજના સમયે રેડ કરતાં રેતી ભરવા આવેલ ડમ્પરોને ૩૦ કલાકની લાંબી કાર્યવાહી બાદ પકડી પાડયા હતા. અને ડમ્પરો અને અન્ય મુદામાલ વધુ હોવાથી મદદ માટે પાલનપુર ખાણખનિજ વિભાગ દ્વારા પાટણ,મહેસાણા,ફલાઈંગ સ્કવોડ અને આજરોજ અમદાવાદની ટીમની મદદ લઈ કાર્યવાહી કરવામા આવી હતી.જયારે ખાણખનિજ વિભાગના ભુસ્તર શાસ્ત્રી ગુરૂપ્રિતસિંગ સારસ્વાએ સતાવાર રીતે અંદાજીત ૧૦૦ થી વધારે ડમ્પરો સીઝ કરવામાં આવ્યા છે.હીટાચી કે જી.સી.બી. કેટલા છે એ હજુ કોઈ કામગીરી માં જાણવા મળેલ નથી અને વધુ કાર્યવાહી હજુ ચાલુ છે.અને કયારે પુરી થશે એ કોઇ નકકી નથી.અને આમ અંદાજીત કરોડો રૂપિયાનો મુદામાલ પ્રાથમિક ધોરણે સિઝ કરવામાં આવ્યો છે. જેની નિયામોનુસાર દંડકીય કાર્યવાહી કરવામાં આવશે આમ ગઈ કાલના રાત્રિના સમયે પકડેલ ડમ્પરો અને અન્ય મુદામાલને ૩૦ કલાકથી વધારે સમય થયો હોવાથી હજુ સમાચાર લખાય ત્યાં સુધી કોઈ દંડકીય કાર્યવાહી કરવામાં આવેલ નથી.તેમ વધુમાં પુછતાં તેઓએ જણાવ્યુ હતુ કે હજુ સુધી કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક ધોરણે ૧૦૦ જેટલા ડમ્પરો અને ટ્રકો સહિતનો મુદામાલ સિઝ કર્યો છે.અને હજુ વધુ તપાસ ચાલુ છે.રાજયનુ સૌથી મોટુ મેગા ઓપરેશન કરી મોટી ખનિજ ચોરી ઝડપી પાડી છે.અમને અવારનવાર ગેરકાયદેસર રેતી ખનનની વ્યાપક ફરીયાદો મળતી રહે છે.તે ફરીયાદ ના આધારે અમારા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવેલ છે.
નટવર. કે. પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!