GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

આજ તા.૧૬થી ૧૯ જુલાઇ સુધી નવસારી સુપા બારડોલી રોડ ઉપર પુર્ણા નદી પર આવેલ બ્રીજનાં લોડ ટેસ્ટ અર્થે વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

લોડ ટેસ્ટ ફક્ત જાહેરજનતાનાં હિત માટે જ હોય, ઘબરાઈને બ્રીજ બાબતે કોઈ અફવા ન ફેલાવવા જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો

નવસારી,તા.૧૫: કાર્યપાલક ઈજનેરશ્રી, નવસારી (મા×મ) વિભાગ, જુનાથાણા, દ્વારા નવસારી. ટેલીફોન નંબર (૦૨૬૩૭) ૨૫૮૦૪૧ કચેરી જાહેરજનતાનાં હિતને ધ્યાને લઈ આગમચેતી સલામતીનાં પગલા રૂપે નવસારી સુપા બારડોલી રોડ કિ.મી. ૨૯/૪ થી ૨૯/૬ માં પુર્ણા નદી ઉપર સુપા નજીક આવેલ બ્રીજનાં લોડ ટેસ્ટ અર્થે આ બ્રીજ નવસારી થી બારડોલી તથા બારડોલી થી નવસારી આવતા વાહનો માટે તા.૧૬/૦૭/૨૦૨૫ થી તા.૧૯/૦૭/૨૦૨૫ સુધી દિન – ૪ માટે વાહન વ્યવહાર તથા રાહદારીઓ માટે બંધ કરવામાં આવે છે. આ સમયગાળા દરમ્યાન વૈકલ્પિક માર્ગ તરીકે બારડોલી થી નવસારી તથા નવસારી થી બારડોલી આવતા-જતા વાહનો ઉપરોકત સમયગાળા દરમ્યાન ભુતબંગ્લા સુપા થી પેરા થઈ ધોળાપીપળા ચોકડી – એન.એચ. ૪૮ માર્ગનો અવર – જવર માટે ઉપયોગ કરી શકાશે.વધુમાં ઉપરોક્ત લોડ ટેસ્ટ ફક્ત જાહેરજનતાનાં હિત માટે જ હોય, ઘબરાઈને બ્રીજ બાબતે કોઈ અફવા ફેલાવવી નહી એમ પાલિકા કાર્યપાલક ઈજનેર, નવસારી (મા×મ) વિભાગ, નવસારી દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!