GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

રાજ્યપાલશ્રી તા.૧૩મીએ કેશોદના મઢડા ખાતે સોનલ માતા જન્મ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થશે

કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં રાજ્યપાલશ્રીની પ્રવાસના અનુસંધાને જરૂરી વ્યવસ્થાઓ અને આયોજન સંદર્ભે બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કેશોદના મઢડા ખાતે તા.૧૩-૦૧-૨૦૨૪ના રોજ શ્રી સોનલ માતા જન્મ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થશે. રાજ્યપાલશ્રીના આ પ્રવાસના અનુસંધાને કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જરૂરી વ્યવસ્થાઓ અને આયોજન માટે બેઠક યોજાઈ હતી.
કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કલેક્ટરશ્રીએ નિયત પ્રોટોકોલ અનુસાર જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવાની સાથે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત કાર્યક્રમની રૂપરેખા, મંચ પર બેઠક વ્યવસ્થા, જરૂરી પોલીસ બંદોબસ્ત સહિતના મુદ્દે જરૂરી આયોજનો માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટરશ્રી એન.એફ. ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી કિશન ગરચર સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!