રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૬.૮.૨૦૨૩
હાલોલ તાલુકાની જેપુરા શાળાએ તારીખ 3/8/2023 ને ગુરુવાર ના રોજ મુખ્યમંત્રી દ્વારા જે વનકવચ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ .તે વનકવચની મુલાકાત શાળાના આચાર્ય અતુલકુમાર પંચાલના માર્ગદર્શન હેઠળ તારીખ 4/8/2023 ને શુક્રવારના રોજ યોજવામાં આવી હતી .જેમા બાળકો ને વિવિધ વૃક્ષો ની ઓળખ તેમજ તેના ઉપયોગ વિશે શાળાના શિક્ષકો દ્વારા માહિતી આપવામાં આવી હતી .ત્યારબાદ તમામ બાળકોને વનભોજન આપવામાં આવ્યું હતું જેમાં બાળકો ને ખૂબ મજા માણી હતી.