BANASKANTHAGUJARATPALANPURUncategorized

સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુરમાં દ્રવ્યનું ચોથું સ્વરૂપપ્લાઝમા ઉપર વ્યાખ્યાન યોજાયું

28 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે પ્લાઝમા વિષય પર એક વ્યાખ્યાન નું આયોજન તારીખ 26 જુલાઈ 2023 ના રોજ, કોલેજના રૂમ નંબર 4 માં સાંજે ચાર કલાકે યોજેલ. સદર કાર્યક્રમમાં ઇન્સ્ટિટયૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ, ગાંધીનગર ખાતેથી શ્રી ગટ્ટુ રમેશ બાબુ અને શ્રી નરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ દ્વારા પ્લાઝમા વિષય પર વ્યાખ્યાન આપેલ. તેમણે જણાવ્યું કે દ્રવ્યના ત્રણ સ્વરૂપ ધન પ્રવાહી અને વાયુ ઉપરાંત ચોથા સ્વરૂપ તરીકે પ્લાઝમા હોય છે .ઉપરાંત કુદરત તેમજ વ્યવહારમાં આપણે પ્લાઝમા ને કયા કયા જોઈ શકીએ તેમજ વ્યવહારમાં પ્લાઝમા નો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તે વિષય પર ખૂબ જ સરળ ભાષામાં માહિતી આપી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ભૌતિકશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ શ્રી આર.જે પાઠક સરે કરેલું .કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર પી.વી. મોઢ દ્વારા કરેલ. તેમજ કાર્યક્રમના આયોજનમાં પ્રોફેસર ડી .એસ .ખીલારે તેમજ ડો. કે. પી. પટેલે સહયોગ આપેલ. આ વ્યાખ્યાન નો લાભ લગભગ 110 જેટલા વિદ્યાર્થી અને અધ્યાપક શ્રી ઓએ લીધેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!