તા.૨૩ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ખરાબ હવામાનને કારણે ખરીદી મુલતવી
હાલ રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. ત્યારે ૧૦ માર્ચ થી ૨૦ માર્ચ માત્ર દસ જ દિવસમાં જિલ્લાના ૨૧૫૮ ખેડૂતો પાસેથી ૪૧૦૯૬ ક્વિન્ટલથી વધુના ચણા અને ૧૧ ખેડૂતો પાસેથી ૨૩૭ ક્વિન્ટલથી વધુમાં રાયડાની ખરીદી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ગોંડલ તાલુકાના ૧૨૪૪ ખેડૂતો પાસેથી ૨૪,૧૭૯ ક્વિન્ટલ ચણા અને રાજકોટ તાલુકાના ૧૧ ખેડૂતો પાસેથી ૨૩૭.૫ ક્વિન્ટલ રાયડો ખરીદવામાં આવ્યા છે.
સતત ખરાબ હવામાન અને માવઠાની આગાહીને પગલે જણસીને સુરક્ષિત રાખી શકાય તે અનુસંધાને ટેકાના ભાવની ખરીદી માટે રોજ ૫૦ જેટલા ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. ટેકાના ભાવની ખરીદી ૯૦ દિવસ -૧૦ જૂન સુધીમાં કરવામાં આવશે. જણસીને સુરક્ષિત રાખી શકાય તે માટે ગઈકાલે પડેલા વરસાદ બાદ હાલ ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયાને અટકાવવામાં આવી છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી અશોક સોજિત્રા દ્રારા જણાવવામાં આવ્યું છે.