GUJARATJAMNAGARKALAVAD

નવાગામમાં રહેતા શ્રમિક પરિવારની ત્રણ વર્ષની માસમ બાળકીનું પાણીની કુંડીમાં ડૂબી જતાં કરુણ મૃત્યુ

03 નવેમ્બર 2023
હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતા શ્રમિક પરિવારની ત્રણ વર્ષની માસુમ બાળકીનું રમતાં રમતાં પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજયું છે. આ બનાવની વિગત એવી છે કે મૂળ પંચમહાલ જિલ્લાના વતની અને હાલ કાલાવડ તાલુકાના નવા ગામમાં રહેતા પરસોત્તમભાઈ લાલજીભાઈ અકબરી નામના ખેડૂત ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા રાહુલભાઈ રામસિંહભાઈ ખરાડી નામના શ્રમિક ની ત્રણ વર્ષની પુત્રી રીતીકા કે જે રમતાં રમતાં અકસ્માતે પાણીની કુંડીમાં પડી ગઈ હતી, અને ડૂબી જવાના કારણે તેણીને સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતક ના પિતા રાહુલભાઈ ખરાડીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!