મોરબીમાં હીંગળાજ મા અને આશાપુરા માતાના મંદિરનો ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
મોરબીમાં હીંગળાજ મા અને આશાપુરા માતાના મંદિરનો ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
મોરબી : મોરબી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરિવાર (ખત્રી) દ્વારા 250 વર્ષ જુના હીંગળાજ માતાજી તથા આશાપુરા માતાજીના મંદિરના ભવ્ય અને દિવ્ય ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તારીખ 25 જૂન થી 27 જૂન સુધી આ ભવ્ય અને દિવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. 25 જૂને બપોરે 12-30 કલાકે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, ખત્રીવાડ શેરી નં-3 ખાતે મહાપ્રસાદ યોજાશે. બીજા દિવસે 26 જૂને ખોડિયાર માતાજીના મંદિરેથી સાંજે 5-30 કલાકે શોભાયાત્રા યોજાશે. અને બપોરે અને સાંજે મહાપ્રસાદનું આયોજન બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચની વાડી ખાતે કરાયું છે. 27 જૂન ને મંગળવારના રોજ સાંજે 6 કલાકે મોરબીના દરબારગઢ ખાતે મચ્છુ માતાજીના મંદિર પાસે દોશી હાઈસ્કૂલ ખાતે મહંત આત્માનંદ સરસ્વતી સ્વામી- બોટાદ આશીર્વચન પાઠવશે અને દાતાઓનો સન્માન સમારોહ યોજાશે. સાથે જ સાંજે 7-30 કલાકે દોશી હાઈસ્કૂલ ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.