JETPURRAJKOT

ઉનાળુ મગફળી,તલ, મગ અને અડદની ખેતીમાં કાળજી અને તકેદારીના પગલાંઓ જાહેર કરાયા

તા.૨૫ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

ગ્રામીણ કૃષિ મોસમ સેવા અનુસાર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગતના તરઘડીયા કેન્દ્ર રાજકોટ દ્વારા ઉનાળુ પાક મગફળી, તલ, મગ અને અડદ માટે તકેદારી અને કાળજીના પગલાઓ જાહેર કરાયા છે.

જેમાં ઉનાળુ મગફળી હાલ વૃદ્ધિ અને ફૂલના તબક્કામાં હોવાથી મગફળીમાં એક સાથે વધુ ફૂલ આવે તે માટે ત્રીજુ પિયત ઉગાવા બાદ ૨૦-૩૦ દિવસ પછી આપવા, આતરખેડ અને નિંદામણ દ્વારા મગફળીને નિંદામણ મુક્ત રાખવા, ઉનાળુ તલ પણ હાલ વૃદ્ધિના તબક્કામાં હોય સફેદ માખીના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૪૦ મિલી અથવા લીંબોળીના મિંજનું પ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મિલી અને એસીટામાપ્રીડ ૨૦% પ ગ્રામ દવાને ૧૦ લી. પાણીમાં મિશ્ર કરીને તેને છંટકાવ કરવા, તલના ઉગાવા બાદ તલનો પાક ૪-૬ પાનનો થાય ત્યાં સુધી પિયત આપવું નહીં, ઉનાળું મગ અને અડદ હાલ વૃદ્ધિના તબક્કામાં હોઈ થ્રીપ્સ અને સફેદ માખીના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૫૦ મિલી અથવા લીંબોળીના મિંજનું પ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મિલી અને ડાયફેનથાયુરોન ૧૫ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૩૦ મિલી/ લેમ્બ્ડા સાયહેલોથ્રીન ૧૫ મિલી દવાને ૧૦લી પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવાની સલાહ આપવામાં આવી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!