GUJARATKHERGAMNAVSARI

આછવણી શિવ પરિવાર દ્વારા બદ્રીનાથમાં 108 કુંડી મહાવિષ્ણુ યજ્ઞનું આયોજન

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકાના આછવણી પ્રગટેશ્વર મહાદેવ મંદિરના સ્થાપક ધર્મચાર્ય પરભૂદાદા અને રમાબાના સાનિધ્યમાં આગામી 21મી સપ્ટેમ્બરે કેદારનાથમાં પાંચ કુંડી મહારુદ્ર યજ્ઞ અને 26મી સપ્ટેમ્બર બદ્રીનાથ ખાતે 108 કુંડી મહાવિશ્વ યાગનું આયોજન શિવ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે,જેમાં પૂજ્ય પરભુદાદા અને રમાબા મુંબઈથી દેહરાદુન ફ્લાઇટ અને ત્યાંથી કેદારનાથ હેલિકોપટર મારફત પ્રસ્થાન કરી યજ્ઞમાં ભાગ લેશે.જે અંતર્ગત પ્રગટેશ્વર સમિતિના પ્રમુખ બીપીનભાઈ પરમાર,અમિતભાઇ પટેલ,અપ્પુભાઈ પટેલ,હેમંતભાઈ પટેલ સહિત ગુજરાત મહારાષ્ટ્ર સમિતિના આગેવાનોએ જરૂરી તૈયારી આરંભી હતી.પરભુદાદાએ જણાવ્યું કે લોક કલ્યાણ અને દરેક ધર્મના લોકોમાં ભાઈચારો વધે તથા પિતૃઓના મોક્ષર્થે યજ્ઞનું આયોજન થયું છે,સાથે ત્યાંના ગરીબ અને સાધુ સમાજને ધાબળા અને ગરમ વસ્ત્રો તેમજ બ્રહ્મભોજન સહિતના કાર્યક્રમો થશે,જેના માટે કોઈ દાન કે ઉઘરાણું મંગવામાં આવતું નથી,સ્વયં થાય તે સત્ય અને એક પિતા સબ પરિવારના સૂત્ર સાથે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રના આશરે 400 થી વધુ ભક્તો યજ્ઞમાં ભાગ લેવા કેદારનાથ અને બદ્રીનાથ પહોંચશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!