NAVSARI

Navsari: નવસારી તાલુકાના પરતાપોર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યકમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી તાલુકાના પરતાપોર ગામે  બક્ષીપંચ મોરચાના મહામંત્રીશ્રી સનમ પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું.આ પ્રસંગે બક્ષીપંચ મોરચાના મહામંત્રીશ્રી સનમ પટેલે જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓનો લાભ ઘર આંગણે જ ગ્રામજનોને મળી રહે છે. તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે. જેથી કોઇપણ લાભાર્થી રહી ન જાય તેની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.

કાર્યક્રમ દરમિયાન મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ સરકારી યોજનાના લાભો વિશે પ્રતિભાવો આપ્યા હતાં. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે  લાભાર્થીઓને કિટ અને કાર્ડ વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે ગામના સરપંચ શ્રી દિપકભાઇ પટેલ, નાયબ પશુપાલક અધિકારી ચેરીબેન પટેલ, પદાધિકારીઓ/અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!