તા.૨૦ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
‘‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’’ અંતર્ગત રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા મહિલા સશક્તિકરણ, કુપોષણ નિવારણ અને મૂલ્યવર્ધન માટે મહિલા તાલીમાર્થીઓ માટે વૃત્તિકા યોજના અમલી બનાવાઇ છે. જેનો લાભ રેશનકાર્ડ દીઠ એક મહિલાને મળવાપાત્ર છે. તાલીમાર્થી મહિલાની ઉંમર ૧૮ વર્ષથી ૫૦ વર્ષ સુધીની હોવી જોઈએ. ૩૫ થી ૫૦ તાલીમાર્થી બહેનોના ગ્રુપમાં ગામ, સોસાયટી કે તાલીમ કેન્દ્ર પર બાગાયતી પાકોના મૂલ્યવર્ધન માટેની દૈનિક સાત કલાકની તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીની ૮૦ ટકા હાજરી હોય તો એક દિવસના રૂ. ૨૫૦ લેખે તાલીમાર્થી મહિલાના બેંક ખાતામાં રૂપિયા ૧૨૫૦ પાંચ દિવસીય તાલીમી વૃત્તિકા (સ્ટાઈફંડ) સરકારશ્રી દ્વારા જમા કરવામાં આવશે. આ માટે તાલીમાર્થી દ્વારા ઓનલાઈન આઇ ખેડુત પોર્ટલ પર કરેલી અરજીની પ્રિન્ટ તાલીમાર્થીની સહી સાથે, આધારકાર્ડ, રેશનકાર્ડ અને પાસબુકની ઝેરોક્ષ, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો અને ગ્રુપ લીડર હોય તો તેનો સંપર્ક નંબર આપવાનો રહેશે, તેમ જ વધુ માહિતી માટે અથવા નાયબ/મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે.