વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ,વાંસદા
ઉનાઈની વિદ્યાકિરણ હાઇસ્કૂલમાં વાંસદાનો વિજ્ઞાન મેળા યોજાયો
વાંસદા તાલુકાના ઉનાઈમાં વિદ્યાકિરણ હાઇસ્કૂલમાં વાંસદા તાલુકા કક્ષાનું વિજ્ઞાન મેળામાં ભીનારની સદગુરુ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ સ્વાસ્થ્ય, ખેતી, પ્રત્યાયન અને વાહન વ્યવહાર,જીવન પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી’ અને ગણનાત્મક ચિંતન એમ 5 વિભાગની વિવિધ શાળાની કૃતિઓએ નિહાળી હતી. જેમાં શ્રી સદગુરુ હાઇસ્કુલની બે કૃતિ રજૂ કરાઈ હતી.જેમાં એક યુ ટર્ન અકસ્માત સલામત સિસ્ટમ જે વળાંકમાં થતાં અકસ્માતના નિવારણ માટે અને બીજી કચરામાંથી વિદ્યુત ઉત્પન્નકરવાના વિજ્ઞાન પ્રોજેક્ટ રજૂ કરાઈ હતી.