GUJARATJUNAGADHMANGROL

માંગરોળના નગીચાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનોનો ઉમળકાભેર આવકાર

ગ્રામજનોને કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કરયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : માંગરોળના નગીચાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ઉમળકાભેર આવકાર આપ્યો હતો.આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને તેમના હસ્તે કેન્દ્ર રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ગ્રામજનોને કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યાં હતા.
આ તકે આયોજિત હેલ્થ કેમ્પના માધ્યમથી ગ્રામજનોએ ટીબી સ્ક્રિનિંગ ઉપરાંતની આરોગ્ય સેવાઓ લાભ મેળવ્યો હતો.
ધરતી કહે પુકાર કે લઘુ નાટકના માધ્યમથી ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત પોતાના પ્રતિભાવો આપ્યા હતા.
નલ સે જલ યોજનાના સફળ અમલીકરણ માટે ગ્રામ પંચાયતને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અગ્રણી ભાવેશભાઈ ડાભી, તાલુકા પંચાયતના સદસ્ય સર્વ રામજીભાઈ સરપંચ શ્રી મસરિભાઈ પીઠિયા સહિતના અગ્રણીઓ અને જુદા જુદા વિભાગના કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!