મહાવીર જન્મ કલ્યાણક પર્વ નિમિતેગાંધીધામમાં નિકળી ભવ્ય શોભાયાત્રા નિકળી….
ગાંધીધામ રવિવાર તા. 21
જૈન સોશ્યલ ગૃપ સહિતના વિવિધ સંગઠનો દ્વારા આજે મહાવીર જયંતીના ઉપલક્ષમાં વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વિવિધ ઝાંખીઓ, રથ, બાઈક રેલી સહિતનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે જૈન સમાજના વિવિધ સંઘ, ફીરકાઓના પ્રમુખો, આગેવાનો હાજર રહ્યા હતા. પુર્વ કચ્છ એસ.પી.સાગર બાગમાર, પાલિકા પ્રમુખ તેજસ શેઠ, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ મહેશ પુજની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ચંપાલાલ પારખ, પ્રદિપભાઈ મહેતા, શ્રીચંદજી ગંગવાલ, કાંતીભાઈ શાહ, રોહિત શાહ, જયસિંઘ જૈન, જીતેંદ્ર જૈન (શેઠીયા), શૈલેંદ્ર જૈન, ડૉ. ચેતન વોરા વગેરે સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં જૈન સાધુ સાધ્વીઓ, જૈન ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: રાજેન્દ્ર ઠક્કર ગાંધીધામ -9879011934