વિજાપુર કુકરવાડા ગામે પક્ષીઓના પાણી પીવાના કૂંડા નું વિતરણ કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં ઉનાળાની કાળઝાળ ગરમી માં આસમાન ઉડતા પક્ષીઓ ને હાલમાં સૂકીભટ બનેલી નદીઓ તેમજ તળાવડા ના કારણે પાણી પીવા માટે પક્ષીઓ ને કોઈ તકલીફ ના પડે તે માટે જીવદયા પ્રેમીઓ પ્રકૃતિ પ્રેમી જેડી ફાઉન્ડેશન દ્વારા માળાઓ અને પાણી પીવા માટે ના 1000 જેટલા કુંડાઓ દિવ્યા ચાનપુરા તેમજ મયુર રામી દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું હાલમાં ઉનાળાની ગરમી તેમજ પલટાયેલા વાતાવરણ ના કારણે પક્ષીઓ ને પાણી મળી રહે તે માટે લોકોને ઘરના આંગણે તેમજ ખેતરો તેમજ વાડાઓમાં કૂંડા માં પાણી ભરી લગાવવા સાથે અપીલ કરીને વિતરણ કરવામાં આવ્યું હતું