JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ પોલીસના મહાતોડકાંડ મામલે તરલ ભટ્ટે કોર્ટ સમક્ષ સમગ્ર દોષનો ટોપલો એસઓજીના પીઆઈ એ.એમ ગોહિલ પર ઢોળી દીધો

જૂનાગઢ પોલીસના મહાતોડકાંડ મામલે ATSએ સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટને જૂનાગઢની સેશન્સ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. એટીએસે તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જ્યારે તરલ ભટ્ટે કોર્ટ સમક્ષ સમગ્ર દોષનો ટોપલો એસઓજીના પીઆઈ એ.એમ ગોહિલ પર ઢોળી દેવામાં આવ્યો છે. જેમાં પોતે એકાઉન્ટ ની વિગતો આપી હોવાનો સ્વીકાર કર્યો હતો, અને તે વિગતોનો દુરઉપયોગ પીઆઈ ગોહિલ દ્વારા કરવામાંઆવ્યો છે.
તોડકાંડ કેસમાં તરલ ભટ્ટને એટીએસ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો ત્યારે સરકારી વકીલ અને તરલ ભટ્ટના વકીલે 45 મિનીટ સુધી દલીલો કરી હતી. તરલ ભટ્ટના વકીલ દ્વારા તેમનો બચાવ કરતા કોર્ટ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી કે પોલીસ મેન્યુએલ મુજબ કોઈપણ ગુનાને લગતી બાતમી મળે તો તેણે જે તે જવાબદાર અધિકારીને આપવાની હોય છે, તે મુજબ માણાવદરના સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટ બેંક ખાતાની વિગતો મળી હતી.
તેના ફરજના ભાગરૂપે તેમણે જૂગાઢ SOGના PI એ.એમ. ગોહિલને આપી હતી, પીઆઈ ગોહિલે તરલ ભટ્ટ તરફથી મળેલી બેંક ખાતાની વિગતોનો દુરૂપયોગ કર્યો છે. બેંક ખાતા ફ્રીઝ કરવાની સત્તા પણ એસઓજીને છે. જેમાં તરલ ભટ્ટનો કોઈ રોલ આવતો નથી.

બનાવ અંગે દોષનો ટોપલો તરલ ભટ્ટ દ્વારા એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ પર ઢોળી દેવામાં આવ્યો
તેમણે માત્ર પોતાના ફરજના ભાગ રૂપે બેંક ખાતાની વિગતો આપી હતી તેમ કહી સમગ્ર બનાવ અંગે દોષનો ટોપલો તરલ ભટ્ટ દ્વારા
આ ઉપરાંત બચાવ પક્ષે તરલ ભટ્ટના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરતા કહ્યું કે તરલ ભટ્ટ વિરુદ્ધ અરજદાર કાર્તિક ભંડારીએ પણ કોઈ ફરિયાદ આપી નથી. કેસને મીડિયા ટ્રાયલ બનાવી સરકારના જવાબદાર અધિકારીને સંડોવી દેવાનું કૃત્ય હોવાનો મોટો દાવો કરવામાં આવ્યો હતો, બીજી તરફ એ પણ દલીલ કરવામાં આવી હતી કે SOGના પીઆઈ દ્વારા બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!