BANASKANTHAGUJARATPALANPUR

સ્વસ્તિક બાલમંદિર ખાતે “મનોરંજન કાર્યશાળા ” યોજાઈ

10 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી એમ.આર.એચ. મેસરા ( સ્વસ્તિક ) બાલમંદિર માં આજ રોજ બાળકો નાં મનોરંજન રૂપે શિક્ષિકા બહેનો દ્વારા નાટ્ય રૂપી ‘ બાળવાર્તા ‘ અને ‘ પપેટ્સ દ્વારા જોડકણાં ‘ ને સુંદર રજૂ કર્યા હતા.સંસ્થા નાં પ્રમુખ રમેશભાઈ પટેલ નાં માર્ગદર્શન દ્વારા રજૂ થયેલ આ મનોરંજન કાર્યશાળા માં સંસ્થાનાં નિયામક મહેન્દ્ર ભાઈ પંચાલ , કે.કે.ગોઠી હાઇસ્કુલનાં આચાર્ય મણીભાઈ સુથાર ઉપસ્થિત રહ્યા હતા.આ મનોરંજન કાર્યશાળાનું આયોજન બાલમંદિર નાં આચાર્યા દર્શનાબેન મોદી અને તમામ સ્ટાફનાં સહયોગ થી કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!