વાત્સલ્યમ સમાચાર કિરીટ પટેલ બાયડ
મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જુની વાસણી, અમિયાપુર અને તેનપુર પ્રાથમિક શાળા ખાતે ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
શાળામાંથી એક પણ વિદ્યાર્થી ભણવાનું છોડે નહીં તે શિક્ષકો અને ગામના લોકોની ફરજ: મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત
જુની વાસણી, અમિયાપુર અને તેનપુર પ્રાથમિક શાળાઓમાં અંદાજિત ૬૦ બાળકોએ પ્રવેશ મેળવ્યો
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત અરવલ્લી જિલ્લાના જુની વાસણી, અમિયાપુર અને તેનપુર પ્રાથમિક શાળા ખાતે માન. મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. ત્રણ શાળાઓમાં ૬૦ જેટલાં બાળકોને સ્કૂલ બેગ કીટ અને વિતરણ કરવામાં આવ્યું. માન મંત્રીશ્રી એ જુની વાસણી, અમિયાપુર અને તેનપુર પ્રાથમિક શાળાઓમાં વૃક્ષારોપણ કરી વૃક્ષને સાચવવાં માટે પાંજરા પેટે સ્કુલ દીઠ એક-એક હજાર રૂપિયાનું દાન આપ્યું. સાથે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું ‘સૌ ભણે, ગણે અને આગળ વધે’ તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ઇતિહાસની આ પ્રથમ ઘટના હતી જેમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડે-ગામડે જઈ શાળા પ્રવેશોત્સવ થકી નાના ભૂલકાઓને શાળામાં આવકારતા હતા. વડાપ્રધાનએ શરુ કરેલી શિક્ષણની આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી શાળામાં ૧૦૦ ટકા નામાંકનનું લક્ષ્યાંક પ્રાપ્ત થયું છે.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, ગામના વડીલો તેમજ સમાજના હોદ્દેદારો અને પદાઅધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.