GUJARATJETPURRAJKOT

Rajkot: આત્મહત્યા કરવા ગયેલી મહિલાનો જીવ બચાવતી ૧૮૧ ટીમ

તા.૧/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, રાજકોટ: ૧૮૧ અભયમ ટીમ અને મહિલા સહાયતા કેન્દ્રના સંકલનથી આત્મહત્યા કરવા જતી મહિલાનો જીવ બચાવાયો હતો.

૧૮૧ ટીમને એક વ્યક્તિએ ફોનમાં જણાવેલ કે એક મહિલા રડતા રડતા રેલવેના પાટા પર આત્મહત્યા કરવા જાય છે, આટલું જ સાંભળતા ૧૮૧ ટીમના કાઉન્સિલર જીનલ વણકર અને કોન્સ્ટેબલ રીનાબેન બારૈયા થોડી જ મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

૧૮૧ ટીમે પીડીતાબેનને આશ્વાસન આપી આત્મહત્યા કરવાનું કારણ જાણ્યું ત્યારે પીડીતાએ રડતા રડતા જણાવેલ કે મારા ઘરમાં રોજ રોજ નાની-નાની બાબતોમાં ઝઘડા થાય છે અને હું આ ઝઘડાથી કંટાળી ગઈ છું, હવે મને એક જ રસ્તો દેખાય છે-આત્મહત્યા… આથી ૧૮૧ ટીમ તેમને સમજાવ્યુ કે નાના મોટા ઝગડા ક્યારેક પરિવારમાં થાય અને બધી જ સમસ્યાનું સમાધાન હોય જ. આત્મહત્યા કરવી એ કોઈ સમસ્યાનું સમાધાન નથી, વગેરે વાતોથી પીડિતાનું કુશળ કાઉન્સિલિંગ કરાયું હતું અને તેઓને આત્મહત્યાના વિચારમાંથી મુક્ત કરાયા હતા.ત્યાર બાદ તેમના પરિવારનો સંપર્ક કરી પીડિતાના પતિનું પણ કાઉન્સિલિંગ કરી બન્ને પક્ષ વચ્ચેના મતભેદો દૂર કરાયા હતા.ખુબ લાંબાગાળાના કાઉન્સેલિંગની જરૂરિયાત જણાતા પીડિતાને મહિલા પોલીસ સ્ટેશન સ્થિત મહિલા સહાયતા કેંન્દ્રમા લઇ જવામાં આવેલ હતા અને મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલર શ્રી દક્ષાબેન ચાંદલિયા અને શ્રી કૃપાબેંન જોષી દ્વારા બંને પતિ-પત્નીના લાંબા ગાળાના કાઉન્સિલિંગ થયા અને સુખદ સમાધાનકારી નિરાકરણ લાવેલ ત્યારબાદ સમયઅંતરે નિયમિત તેના ફોલો-અપ ટીમ દ્વારા લેવાય છે, જે બાદ પીડિતાએ જણાવેલ કે હાલ તેઓનો સાંસારિક જીવન શાંતિથી રાજી ખુશીથી સારી રીતે ચાલે છે તેવું ઉમેર્યું હતું.રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન સ્થિત ૧૮૧ અભયમ ટીમ અને મહિલા સહાયતા કેન્દ્રના સંકલનથી એક પરિવારને તૂટતા બચાવાયું અને મહિલા નવજીવન મળ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!