JUNAGADHJUNAGADH CITY / TALUKOUncategorized

જૂનાગઢ જિલ્લામાં બોટ માલિકો સંપર્ક ન થતો હોય તો સંબંધિત એજન્સીને જાણ કરવી આવશ્યક

જૂનાગઢ જિલ્લામાં બોટ માલિકો સંપર્ક ન થતો હોય તો સંબંધિત એજન્સીને જાણ કરવી આવશ્યક
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. મોટા પ્રમાણમાં માછીમારી માટે બોટો  દરિયામાં જાય છે. બોટ/વહાણ સાથે જતા લોકોની સલામતી-સુરક્ષા માટે તકેદારીના પગલા સંદર્ભે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ. ચૌધરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ જૂનાગઢ જિલ્લાના વહાણ/બોટ માલિકોને જ્યારે પોતાનું વહાણ/બોટ માછીમારી માટે દરિયામાં જાય તેમજ વાતાવરણીય કારણોસર, ચાંચિયાઓ દ્વારા અપહરણ થવાના કારણ કે કોઈ અન્ય પણ કારણોસર વહાંણ/બોટ ગુમ થાય કે સંપર્ક નિશ્ચિત સમયગાળા બાદ ન થતો હોય તો તે બાબતની જાણ પત્રકની વિગતો સહિતની સંબંધિત તમામ સરકારી એજન્સીઓ ન જાણ કરવી ફરજીયાત છે.
જેમાં પ્રથમ વહાણ/બોટનું નામ તથા નંબર, બીજામાં વહાણ/ બોટ માલિકનું નામ તથા સરનામું તથા સંપર્ક નંબર, ત્રણમાં વહાણ/બોટમાં રવાના થયેલ ખલાસીઓના નામ તથા સરનામાની વિગત, પાંચમા વહાણ/બોટ રવાના થયાની તારીખ, સમય તથા સ્થળ, છઠ્ઠામાં વહાણ બોટ પરત આવવાની સંભવિત તારીખ,  અન્ય જરૂરી વિગતો સાથે જાણ કરવાની રહેશે.  આ જાહેરનામાનો હુકમ તા. ૨૮-૦૩-૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!