વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટર-જુનેદ પટેલ-ફતેપુરા
તારીખ 23 જુલાઈ 2023 ના રોજ ગુજરાત આદિવાસી સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં બંધનું એલાન આપેલ હતું જેને અનુલક્ષીને ફતેપુરા તાલુકામાં પણ ફતેપુરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા ફતેપુરા તાલુકા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.જેને ફતેપુરા તાલુકાના સમસ્ત સમાજના લોકોએ સમર્થન આપ્યું હતું અને આજે તારીખ 23 જુલાઈના રોજ ફતેપુરા તાલુકાના તમામ સમાજના તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા. આજે વહેલી સવારથી જ ફતેપુરા તાલુકામાં તમામ દુકાનો અને વેપાર ધંધા બંધ જોવા મળ્યા હતા.
ફતેપુરા તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો વહેલી સવારથી જ ફતેપુરા તાલુકામાં બંધને સફળ બનાવવા માટે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા સહિત સમગ્ર ફતેપુરા તાલુકા માં યાત્રાએ પણ નીકળ્યા હતા.
આજે ફતેપુરા તાલુકામાં તમામ સમાજના લોકોએ મણિપુર હિંસાના વિરોધમાં બંધના એલાનને સમર્થન આપીને પોતાના વેપાર ધંધા બંધ રાખીને આ બંધને સફળ બનાવ્યું હતું. જ્યારે મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા ફતેપુરા મુસ્લિમ સમાજના જમાતખાના ખાતે મણીપુરમાં હિંસા અટકે અને સાંતી સ્થપાઈ તેના માટે સામુહિક દુઆ પણ કરવામાં આવી હતી.