IDARSABARKANTHA

હિંમતનગરના રાજેન્દ્રનગરમાં બાલુડાઓને હર્ષભેર પ્રવેશ કરાવતા અન્ન નાગરીક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર

હિંમતનગરના રાજેન્દ્રનગરમાં બાલુડાઓને હર્ષભેર પ્રવેશ કરાવતા અન્ન નાગરીક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર

**

શિક્ષણની દુનિયામાં ડગ માંડી રહેલા ભૂલકાઓ આવતી કાલનું ઉજ્જવળ ભવિષ્ય છે.- મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર

***

બેરણા ખાતે આઈ.એ.એસશ્રી મનોજકુમાર દાસની અધ્યક્ષતામાં ૬૨ બાળકોએ પ્રવેશ મેળવ્યો

***

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના રાજેન્દ્રનગર, જવાનપુરા અને પંચેરામાં અન્ન નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ યોજાયો. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી દ્વારા આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ એક ના બાળકોને કુમકુમ તિલક, રમકડાંની કીટ, ગિફટ આપી હર્ષોઉલ્લાસ સાથે પ્રવેશ કરાવ્યો હતો.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમાં હિંમતનગરના રાજેન્દ્રનગરમાં બાલ વાટિકામાં ૧૮, આંગણવાડીમાં સાત, જવાનપુરામાં આંગણવાડીમાં બે, બાલ વાટિકામાં ૧૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.

આ કાર્યક્રમમાં અન્ન નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે ૨૦ વર્ષ પહેલા વડાપ્રધાનશ્રીએ કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ શરુ કર્યો હતો. જેના પરિણામે શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે અને ડ્રોપાઉટ રેશીયો પણ ઘટ્યો છે. આજના આ બાળકો આવતી કાલનું ભવિષ્ય છે. બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમના પરિણામે દીકરીઓમાં શિક્ષણના ઉચ્ચ પરિણામો જોઈ શકીયે છીએ.

આઈ.એ.એસશ્રી મનોજકુમાર દાસની અધ્યક્ષતામાં યોજાયેલા પ્રવેશોત્સવમાં હિંમતનગરના અણીયોલમાં ધો.1માં એક, બાલ વાટિકાના ૩૭, વિરાવાડામાં ધો.-1માં પાંચ,આંગણવાડીમાં ત્રણ, બાલ વાટિકામાં ૨૬ અને બેરણામાં ધો.1માં આઠ, આંગણવાડીમાં ૧૨ અને બાલ વાટિકામાં ૪૨ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઈ- પ્રજાસેતુ માસિક મેગેઝીનનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શાળા પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા પાણી બચાવો, સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી જેવા વિષયો ઉપર વક્તવ્ય રજુ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ શાળાના દાતાશ્રીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ઉપરાંત કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાની મુલાકાત લઇ એસએમસી સાથે બેઠક કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રી,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મેનેજરશ્રી નિનામા, ગામના સરપંચશ્રી, સહિયોગ સંસ્થાના ટ્રસ્ટ્રીશ્રી સુભાષભાઈ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીગણ, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!