છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં શિહોદ ચોકડી પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નં. ૫૬ પર આવેલ ભારજ નદીના બ્રિજ પર નજરે પડેલ સેટલમેન્ટને કારણે ભારે વાહનોના વાહન વ્યવહાર બંધ તથા આર.ટી.ઓ. પાસિંગ કેપેસિટી મુજબ ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનો જેવા કે કાર, જીપ, વાન, ઓટો રિક્ષા તેમજ ખાસ સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા વાહનો તથા રાહદારી માટે શરતોને આધિન બ્રિજ ખુલ્લો મુકવા માટે તા.૧૧/૦૩/૨૦૨૪ થી ૧૦/૦૪/૨૦૨૪ સુધીના સમયગાળા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા ક્લેકટરશ્રી અનિલ ધામેલિયાએ તેમને મળેલ સત્તાની રૂએ આ જાહેરનામાને તા.૧૧/૦૪/૨૦૨૪ થી ૧૦/૦૫/૨૦૨૪ સુધી લંબાવવા હુકમ કરેલ છે.
જે અનુસાર બોડેલીથી છોટાઉદેપુર તરફ જતા ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનો જેવા કે કાર, જીપ, વાન, ઓટોરિક્ષા તેમજ ખાસ સંજોગોમાં એમ્બ્યુલન્સ
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી