GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર એલસીબી જિલ્લા પોલીસ વડા ગીરીશભાઈ પંડ્યા દ્વારા 8 ને નિમણૂક આપવામાં આવી.

તા.05/08/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરમાં એલસીબી શાખાનું છેલ્લા કેટલાક સમયથી વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં એલસીબી શાખામાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓને જુદી જુદી શાખામાં સીટ કરવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસવડા તરીકે હરેશ દુધાતની ગાંધીનગર ખાતે બદલી થતાં નવા આવેલા પોલીસ વડા તરીકે ડો જી એ પંડ્યા એ ચાર્જ સંભાર્યો હતો ત્યારે એલસીબી શાખામાં હાલ પીઆઇ તરીકે જ્યારે વિ.વિ. ત્રિવેદી ચાર્જ સંભાળી રહ્યા છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેર ખાતે નવા આવેલા પોલીસ વડા પંડ્યા દ્વારા એલસીબી ખાતે 8 ઓર્ડર આપવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગર બી ડિવિઝન માંથી વિજયસિંહ પ્રવિણસિંહ પરમાર અને જોરાવનગર પોલીસ મથકમાંથી સાહિલભાઈ સેલત તેમજ ચુડાથી ભરતભાઈ સભાડ તેમજ પાટડીથી દશરથભાઈ ધાંધર તેમજ મુળીથી ગોપાલસિંહ ઝાલા અને સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝનમાંથી મેહુલભાઈ મકવાણા તેમજ સાયલાથી કુલદીપભાઈ બોરીયા અને થાનથી કરસનભાઈ લોહની નિમણૂક એલસીબી માં આપવામાં આવી છે જ્યારે હજુ એલસીબી માં જમાદારના ઓર્ડર કરવાના બાકી રાખવામાં આવ્યા છે જે પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું હાલમાં એલસીબી પીઆઇ વી વી ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!