BANASKANTHAGUJARATPALANPUR

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે બાલારામ મહાદેવ મંદિર ખાતે શીરાનો પ્રસાદ જીવદયા અને ગોવિંદા ફાઉન્ડેશન દ્વારા પિરસાયો

22 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર ની પાસે બાલારામમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે બાલારામ મહાદેવ મંદિરમાં ભક્તો માટે શીરાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો જીવદયા ફાઉન્ડેશન દ્વારા શ્રીરામ વિદ્યાલય સંકુલ રામચંદ્રભાઈ એસ. ગોવિંદાના સહયોગથી પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર બાલારામ મહાદેવ મંદિરમાં ગોવિંદભાઇ ભટ્ટ મહારાજ અને અભિષેક ભટ્ટ મહારાજના હસ્તે ફરાળી શીરાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો ૧૫૦ કિલોનો પ્રસાદ પીરસાયો હતો  આ સેવાના કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી, હરિભાઈ વિષ્ણુ મહારાજ,પરાગભાઈસ્વામી ,કાર્તિક ખત્રી, વગેરે એ સેવા આપી હતી ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું હતું કે પાલનપુરમાં સરકારી શાળા અને આજુબાજુના ઝુંપડપટ્ટી પટ્ટી વિસ્તારમાં તથા આદિવાસી વિસ્તારમાં નાસ્તો અને ભોજન પ્રસાદ શ્રાવણ મહિના સુધી ચાલુ રહેશે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!