ENTERTAINMENT

કરણ જોહરે પ્રિયંકાને બોલીવૂડ છોડાવ્યું : કંગના રણૌત

બોલીવૂડમાં આંતરિક રાજકારણ રમાઈ રહ્યું છે અને મને હાંસિયામાં ધકેલી દેવાઈ હતી તેવાં પ્રિયંકા ચોપરાના નિવેદનોથી વિવાદ જાગ્યો છે. કંગના રણૌતે પ્રિયંકાની અવગણના માટે કરણ જોહરને દોષિત ઠેરવ્યો છે.

પ્રિયંકા બોલીવૂડમાંથી હોલીવૂડમાં જતી રહી છે,પરંતુ અભિનેત્રીએ ભારત પ્રત્યેની નિષ્ઠા છોડી નથી. તેણે હાલમાં વધુ એક  સન્માન ભારતને અપાવ્યું છે. તેને એકેડમી ઓફ પિકટર આર્ટસ એન્ડ સાયન્સની  ટીમનો હિસ્સો બની ગઇ છે. આની મેબરશિપ બોર્ડ ઓફ ગરર્નર્સના ઇન્વિટેશનના આધાર પર જ મળતી હોય છે.

પ્રિયંકાએ સ્પષ્ટતા કરતા ંકહ્યુ ંહતું કે, તેને બોલીવૂડમાં કોર્નર કરવામાં આવી રહી હતી.ઘણા  લોકો તેના માટે સમસ્યા ઊભી કરી રહ્યા હતા. બોલીવૂડમાં સખત રાજકારણ ચાલી રહ્યું હતું, જેનાથી તે કંટાળી ગઇ હતી. તેને કામ આપવામાં નહોતું આવતું. પરિણામે તે ભારતની બહાર નીકળવા માંગતી હતી. એ જ સમયે તેને હોલીવૂડમાં કામ મળ્યું હતું અને તેણે તે તક જવા ન દેતાં તે નીકળી ગઇ હતી.કંગનાએ પ્રિયંકાની આ સ્પષ્ટતા પર ટ્વીટ કર્યું છે.

કંગનાએ  ટ્વીટ કરીને, કરણ જોહરને નિશાના પર લેતા જણાવ્યું હતું કે, કરણે પ્રિયંકાને બોલીવૂડમાં પ્રતિબંધિત કરી દીધી હતી. તેને કામ ન આપીને તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી રીતસરની હાંકી કાઢી  હતી. જે મહિલાએ પોતાની રીતે ઠરીઠામ થવાનો પ્રયાસ કર્યો તેને જ ભારત છોડવા માટે મજબૂર કરવામાં આવી. તેને એટલી બધી હેરેસ કરવામાં આવી હતી કે તેને ભારત છોડવાનો વિચાર કરવો પડયો હતો. ઇન્ડસ્ટ્રીનો દરેક વ્યક્તિ જાણે છે કે, કરણ જોહરે તેન પ્રતિબંધિત કરી દીધી હતી.  કંગનાએ નવધીમાં લખ્યુ ંછે કે, આ અપ્રિય, ઇર્ષાળુ, મતલબી અને ઝેરીલા વ્યક્તએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ક્લચર અને વાતાવરણને બરબાદ કરવા માટે જવાબદાર ઠેરવવો જોઇએ. પહેલા ઇન્ડસ્ટ્રી આવી બિલકુલ નહોતી. આ વ્યક્તિએ બોલીવૂડમાં માફિયાગીરી કરી છે. અને બહારના લોકોને પરેશાન કરવા માટે જવાબદાર ઠેરવવો જોઇએ.

ઉલ્લેખનીય છે કે, કંગના અને પ્રિયંકાએ ફિલ્મ ફેશનમાં સાથે કામ કર્યુ ંહતું.

શાહરૂખનું ઘર ભાંગતું બચાવવા કરણનું પગલું

બોલીવૂડ વર્તુળોમા કંગનાના આક્ષેપોએ ફરી એકવાર પ્રિયંકા અને શાહરુખના સંબંધો અંગે ચર્ચા જગાવી છે.  એક સમયે પ્રિયંકા ચોપરા અને શાહરુખ ખાન ગાઢ સંબંધોમાં હતા. બંનેના સંબંધો એટલા આગળ વધી ગયા હતા કે તેના કારણે શાહરુખનું ઘર ભાંગે તેવી સ્થિતિ હતી. તે વખતે ગૌરી ખાને કરણ જોહરને દરમિયાનગીરી કરવા જણાવ્યું હતું. કરણે ધીમે ધીમે કેટલાય પ્રોજેક્ટસમાંથી પ્રિયંકાને આઉટ કરાવી દીધી હતી અને એવી સ્થિતિ પેદા કરી હતી કે પ્રિયંકાને બોલીવૂડમાં કોઈ મોટાં બેનરમાં કામ ન મળે. એ પછી પ્રિયંકા બોલીવૂડ છોડી હોલીવૂડમાં ગઈ હતી અને ત્યાં નિક જોનાસ સાથે  લગ્ન કરીને સેટલ થઈ ગઈ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!