BHARUCHGUJARATNETRANG

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ભરૂચ જિલ્લાની મુલાકાત સંદર્ભે કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષપદે બેઠક યોજાઈ

નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૦/૦૨/૨૦૨૪

 

આગામી તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ને બુધવાર ના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે ખેડૂતો સાથે વાર્તાલાપ કરનાર છે.

આ પ્રસંગને અનુસંધાને આજરોજ કલેકટર તુષાર સુમેરાનાના અધ્યક્ષપદે સંકલન સમિતીના અધિકારીઓ તથા સંસ્થાના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી.

 

આ બેઠકમાં કલેકટર તુષાર સુમેરાનએ સંસ્થાના આયોજકોને રાજ્યપાલના આગમન માટે કરવાની થતી કામગીરી તથા આયોજન બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સંકલન સમિતીના અધિકારીઓને પણ તેમના કાર્યક્ષેત્રમાં આવતી કામગીરી કરવા તથા સંસ્થાના આયોજકો સાથે સંકલન સાધી કાર્યક્રમ સુપેરે પાર પડે તેવું આયોજન કરવાં જણાવ્યું હતું

 

 

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર એન.આર.ધાંધલ, ગુજરાત રાજ્યના પૂર્વ મહેસુલ મંત્રી-કસ્તુરબા સેવાશ્રમ આશ્રમશાળાના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસીયા, અધિકારી જે.એસ.બારીયા સહીત જિલ્લાનાં અધિકારીઓ અને સંકલન સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!