બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૦/૦૨/૨૦૨૪
આગામી તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ને બુધવાર ના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે ખેડૂતો સાથે વાર્તાલાપ કરનાર છે.
આ પ્રસંગને અનુસંધાને આજરોજ કલેકટર તુષાર સુમેરાનાના અધ્યક્ષપદે સંકલન સમિતીના અધિકારીઓ તથા સંસ્થાના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેકટર તુષાર સુમેરાનએ સંસ્થાના આયોજકોને રાજ્યપાલના આગમન માટે કરવાની થતી કામગીરી તથા આયોજન બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સંકલન સમિતીના અધિકારીઓને પણ તેમના કાર્યક્ષેત્રમાં આવતી કામગીરી કરવા તથા સંસ્થાના આયોજકો સાથે સંકલન સાધી કાર્યક્રમ સુપેરે પાર પડે તેવું આયોજન કરવાં જણાવ્યું હતું
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર એન.આર.ધાંધલ, ગુજરાત રાજ્યના પૂર્વ મહેસુલ મંત્રી-કસ્તુરબા સેવાશ્રમ આશ્રમશાળાના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસીયા, અધિકારી જે.એસ.બારીયા સહીત જિલ્લાનાં અધિકારીઓ અને સંકલન સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.